Contact: +91 844 894 1008
bgwebsite_logo
Bhagavad Gita
The Song of God

Bhagavad Gita: Chapter 10, Verse 36

દ્યૂતં છલયતામસ્મિ તેજસ્તેજસ્વિનામહમ્ ।
જયોઽસ્મિ વ્યવસાયોઽસ્મિ સત્ત્વં સત્ત્વવતામહમ્ ॥૩૬॥

દ્યુતમ્—જુગાર; છલયતામ્—સર્વ ઠગોમાં; અસ્મિ—હું છું; તેજ:—તેજ; તેજસ્વીનામ્—તેજસ્વીઓમાં; અહમ્—હું; જય:—વિજય; અસ્મિ—હું છું; વ્યવસાય:—દૃઢ સંકલ્પ; અસ્મિ—હું છું; સત્ત્વમ્—ગુણ; સત્ત્વ-વતામ્—ગુણવાનોમાં; અહમ્—હું.

Translation

BG 10.36: કપટીઓના દ્યુતમાં તથા તેજસ્વીઓમાં તેજ હું છું. વિજયીઓમાં હું વિજય છું, સંકલ્પમાં દૃઢતા છું તથા ગુણવાનોમાં ગુણ છું.

Commentary

શ્રીકૃષ્ણ કેવળ ગુણોનો જ નહીં પરંતુ અવગુણોનો પણ સ્વયંની વિભૂતિ તરીકે ઉલ્લેખ કરે છે. દ્યુત એ અધમ દુર્ગુણ છે જે પરિવારો, વ્યવસાયો તથા જીવનોનો વિનાશ કરી દે છે. યુધિષ્ઠિરની દ્યુતક્રીડાની દુર્બળતાને કારણે જ મહાભારતનું યુદ્ધ થયું. પરંતુ જો દ્યુતમાં પણ ભગવાનનો મહિમા હોય તો તેમાં કોઈ હાનિ નથી, તો શા માટે તે નિષિદ્ધ છે?

તેનો ઉત્તર એ છે કે ભગવાન જીવાત્માને શક્તિ પ્રદાન કરે છે અને સાથોસાથ પસંદગીની સ્વતંત્રતા પણ પ્રદાન કરે છે. જો આપણે તેમનાં વિસ્મરણની પસંદગી કરીએ તો તે વિસ્મૃતિની શક્તિ આપે છે. આ વિષય વીજળીના પ્રવાહ જેવો છે. વિદ્યુત પ્રવાહનો ઉપયોગ ઘરને ગરમ કરવા તથા ઠંડું રાખવા કરી શકાય છે. આ વિદ્યુત શક્તિનો કેવી રીતે ઉપયોગ કરવો એ નિર્ણય કરવા માટે ઉપયોગકર્તા સંપૂર્ણ સ્વતંત્ર હોય છે. પરંતુ, વીજળીઘર કે જે વીજળીની આપૂર્તિ કરે છે, તે તેના સદુપયોગ કે દુરુપયોગ માટે ઉત્તરદાયી હોતું નથી. આ જ પ્રમાણે, જુગારી પણ ઈશ્વર દ્વારા પ્રદત્ત બુદ્ધિ અને ક્ષમતા ધરાવે છે પરંતુ જો તે આ ઈશ્વર-દત્ત ઉપહારનો દુરુપયોગ કરવા માંગે તો એ પાપયુક્ત કર્મ માટે ભગવાન ઉત્તરદાયી નથી.

પ્રત્યેક જીવને વિજય પસંદ હોય છે; તે ભગવાનના ઐશ્વર્યને પ્રગટ કરે છે. શ્રીકૃષ્ણે સંકલ્પની ગુણવત્તા પર પણ વિશેષ ભાર મૂક્યો છે. આ અંગે પૂર્વે શ્લોક સં. ૨.૪૧, ૨.૪૪, અને ૯.૩૦માં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુણવાનની સાત્ત્વિકતા પણ ભગવાનની શક્તિનું પ્રાગટય છે. સર્વ ગુણો, સિદ્ધિઓ, મહિમા, વિજય તથા દૃઢ સંકલ્પ ભગવાનમાંથી જ ઉત્પન્ન થાય છે. તેમને પોતાના હોવાનું માનવાને બદલે, તે ભગવાનમાંથી ઉદ્ભવિત થયા છે, એ સ્વીકાર કરવો જોઈએ.

Bookmark this Verse

Sign in to save your favorite verses.

Add a Note
Swami Mukundananda
10. વિભૂતિ યોગ

Quick Jump to Any Verse

Navigate directly to the wisdom you seek

Book with feather

Stay Connected!

Verse of the Day

Start your day with the timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!

Thanks for subscribing to "Bhagavad Gita - Verse of the Day"!